આખરે કેમ ખાસ છે અમૃતસરની દિવાળી? ખરેખર તમે પણ લઇ શકો છો મુલાકાત

    0
    13

    દુનિયાભરમાં ધામધૂમ પૂર્વ દિવાળીનો તહેવાર ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવે છે. તે હિન્દુઓ અને શીખો દ્વારા ખૂબ ધૂમધામપૂર્વક ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, પ્રભુ શ્રીરામ તેમની પત્ની અને ભાઇની સાથે 14 વર્ષનો વનવાસ પૂરો કરી તેમના ઘરે પરત ફર્યા હતા એવામાં તેમના આવવાની ખુશીમાં અયોધ્યાવાસીઓએ ઘીના દીવા પ્રગટાવીને તેમનું સ્વાગત કર્યું હતું. જ્યારે બીજી તરફ શીખ ધર્મના છઠ્ઠા ગુરુ હરગોવિંદ સાહેબજીએ આ પાવન દિવસે 52 રાજોને કેદમાંથી મુક્ત કરાવ્યા હતા. એવામાં આ દિવસે શીખ ઘર્મ દ્વારા બંદી છોડ દિવસના નામથી મનાવવામાં આવે છે.

    જો આપણે ભારતની વાત કરીએ તો અમૃતસરમાં દિવાળી સૌથી પ્રખ્યાત છે. તો ચાલો આજે તમને જણાવીએ કે ‘ગુરુના શહેર’ તરીકે પ્રખ્યાત અમૃતસરમાં દિવાળીની ઉજવણી વિશે …

    હાલના દિવસોમાં ખાસ કપીને આખા શહેરમાં આસ્થા જોવા મળે છે. શહેરમાં નગર કીર્તન નીકાળવામાં આવે છે. જેની અલગ જ રોનક જોવા મળે છે.

    દિવાળીને ઘણા દિવસ પહેલા બજારમાં ચહલ પહલ જોવા મળે છે. અઙીં ઘર સજાવવાથી લઇને વાસણ તેમજ કપડા દરેક પ્રકારનો સામાન મળે છે. પંજાબી કલચરને પસંદ કરનારા લોકોને તેમની પસંદગીની વસ્તુઓ અહીં સહેલાઇથી મળી જશે.

    દિવાળીના દિવસે દરબાર સાહિબને વિશેષ શણગારવામાં આવે છે. આ પવિત્ર સ્થાનને તાજા ફૂલો, લાઇટ અને દીવાથી શણગારે છે. આપણે એમ પણ કહી શકીએ કે ગોલ્ડન ટેમ્પલને દુલ્હનની જેમ શણગારેલું છે. રાત્રે આતશબાજીનો નજારો જોવા લાયક હોય છે. આ સુંદર તેમજ અલૌકિક નજારાને જોવા માટે લોકો દેશ-વિદેશથી આવે છે.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here