કોંગ્રેસ BJP પર બરાબરની વિફરી- 15 વર્ષ સુધી આ સંત હતા અને હવે શેતાન દેખાવા લાગ્યા

    0
    21

    ઇન્દોર (Indore)માં કોમ્પ્યુટર બાબા (Computer Baba)ની વિરૂદ્ધ શિવરાજ સરકાર (Shivraj Govt)ની કાર્યવાહી પર કોંગ્રેસ (Congress) એ પ્રશ્ન ઉઠાવ્યો છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા જીતુ પટવારી (Jitu Patwari) એ કહ્યું છે કે શિવરાજ સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ખુદ શિવરાજ સિંહ ચૌહાણ (Shivraj Singh Chauhan) એ તેમને રાજ્યમંત્રી બનાવ્યા હતા એ સમયે તેઓ ભાજપ (BJP) માટે સંત હતા પરંતુ હવે શેતાન દેખાવા લાગ્યા.

    ઇન્દોરમાં કોમ્પ્યુટર બાબાની વિરૂદ્ધ શિવરાજ સરકારની કાર્યવાહી પર કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યા છે. પૂર્વ મંત્રી અને કોંગ્રેસ નેતા જીતુ પટવારીએ કહ્યું કે શિવરાજ સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે ખુદ શિવરાજ સિંહ ચૌહાણે તેમને રાજ્યમંત્રી બનાવ્યા હતા એ સમયે તેઓ ભાજપ માટે સંત હતા પરંતુ હવે શૈતાન દેખાવા લાગ્યા. આપને જણાવી દઇએ કે શિવરાજ સરકારે કોમ્પ્યુટર બાબાના ગેરકાયદે નિર્માણ પર કાર્યવાહી કરી અને તેને તોડી પાડયું છે.

    જીતુ પટવારીએ કહ્યું કે છેલ્લી 15 વર્ષની સરકારમાં તેને ગેરકાયદે નિર્માણ દેખાયુ નહીં. 15 વર્ષ સુધી જ્યારે એક વ્યક્તિ ભાજપનું કામ ગણાવતું હતું તો સંત હતા, પરંતુ હવે તે શેતાન દેખાવા લાગ્યા. કોંગ્રેસ નેતા એ કહ્યું કે ખુદ શિવરાજ સિંહ ચૌહાણે તેમને રાજ્યમંત્રી બનાવ્યા હતા પરંતુ હવે તો કોમ્પ્યુટર બાબા તેમને શેતાન દેખાવા લાગ્યા છે.

    આપને જણાવી દઇએ કે એમપીના ઔદ્યોગિક શહેર ઇન્દોરમાં રવિવાર સવારે જિલ્લા પ્રશાસને ગ્રામ જમૂડીહમાં નામદેવ દાસ ત્યાગી ઉર્ફે કોમ્પ્યુટર બાબા દ્વારા કરાયેલા અતિક્રમણ પર કાર્યવાહી કરી છે. કલેકટર મનીષ સિંહના નિર્દેશનમાં ADM અજય દેવ શર્મા અને અન્ય SDM તથા પોલીસ અધિકારીઓની ટીમ આજે સવારથી જ ગેરકાયદે બાંધકામ તોડી રહી છે.

    ઉલ્લેખનીય છે કે કોમ્પ્યુટર બાબાને 2018માં તત્કાલીન શિવરાજ સરકારમાં રાજ્યમંત્રીનો દરજ્જો આપ્યો હતો. પરંતુ 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોમ્પ્યુટર બાબા એ કોંગ્રેસને સાથ આપ્યો. તેમણે શિવરાજ સરકારમાંથી રાજીનામું આપ્યા બાદ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રચાર પણ કર્યો હતો.

    કોંગ્રેસે કહ્યું કે હવે જ્યારે પ્રશ્ન ઉઠાવામાં આવ્યા તો કોમ્પ્યુટર બાબા પર કાર્યવાહી કરી દેવામાં આવી. જીતુ પટવારીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી ગેરકાયદે કામનું સમર્થન કરતી નથી પરંતુ બદલાની ભાવના કોઇપણ રાજ્યના મુખ્યમંત્રી માટે સારી વાત નથી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here